BFI

લેસર અસિસ્ટેડ હૈચિંગ

જ્યારે મરઘીનું બચ્ચું ઇંડામાંથી બહાર નીકળે છે ત્યારે ઇંડાનું ઉપરનું પડ તૂટી જાય છે. આ પ્રક્રિયાને હૈચિંગ કહેવાય છે. માનવ-ગર્ભ જનનાંગો( ફેલોપિયન ટ્યૂબ અને ગર્ભાશય) ની યાત્રા દરમિયાન તેના બહારના આવરણ- ઝોના પેલ્યુસીડા દ્વારા સંરક્ષિત હોય છે. જ્યારે ગર્ભ સ્થાપિત થાય છે ત્યારે તેને બહારનું આવરણને તોડવું પડે છે. આ આવરણ તોડી ગર્ભાશયની ગાદી – એન્ડોમેટ્રિયમની સાથે સીધો સંપર્ક થાય છે. આ પ્રક્રિયાને એમ્બ્રિયો હૈચિંગ કહે છે. આ ગર્ભ સ્થાપનની પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જે ગર્ભ સફળાપૂર્વક હૈચ કરી શકે છે, તે સફળતાપૂર્વક સ્થાપન કરી શકે છે

ગર્ભ હૈચિંગ એક જટિલ પ્રક્રિયા છે, જે ગર્ભ અને એન્ડોમેટ્રિયમની વચ્ચે કેટલાય સંકેતો દ્વારા શરુ થાય છે, જેને ‘એન્ડોમેટ્રિટમ એમ્બ્રિયો ક્રોસ ટોક’ના નામથી પણ ઓળખાય છે. હૈચિંગ પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ગર્ભે ઘણી વધારે ઊર્જાનો ઉપયોગ કરવો પડે છે.

કોઇક કોઇક વખત હૈચિંગની પ્રક્રિયા નિષ્ફળ જાય છે. મોટી ઉંમરના દર્દીના કિસ્સામાં, થીજેલા ગર્ભ વગેરેમાં હૈચિંગની પ્રક્રિયા નિષ્ફળ જવાનું જોખમ વધારે હોય છે.

હૈચિંગની પ્રક્રિયાને વિવિધ ટેકનિક્સ દ્વારા સહાયતા પ્રદાન કરવામાં આવે છે જેને અસિસ્ટેડ હૈચિંગ કહેવામાં આવે છે. સૌથી એડવાન્સ ઉન્નત, સુરક્ષિત અને સ્વીકૃત ટેકનીક દ્વારા ઝોના પેલ્યુસીડાને  પાતળું કરવા કરવામાં આવે છે અથવા છિદ્ર કરવામાં આવે છે. આ માટે આ પ્રક્રિયાને સમર્પિત લેરનો ઉપયોગ કરવો પડે છે. જેને લેર-આસીસ્ટેડ હૈચિંગ એલ.એ.એચ. કહેવામાં આવે છે.

એલએએચ કેવીરીતે કરવામાં આવે છે?

લેઅસિસ્ટેડ હૈચિંગ

આપણા દેશના શ્રેષ્ઠ  ગર્ભ વિજ્ઞાનીઓ દ્વારા લેઅસિસ્ટેડ હૈચિંગ આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ  અને વિશાળ અનુભવ દ્વારા સુરક્ષિત રીતે કરવામાં આવે

  • એલ.એ.એચ. પ્રક્રિયા ગર્ભ સ્થાપનના દિવસે કરવામાં આવે છે.
  • ગર્ભનું બહારનું આવરણમાં એક ઘણો નાનો છેદ કરવામાં આવે છે, જેમાં ફક્ત એલ.એ.એચ. માટે એક સમર્પિત એફ.ડી.એ. પ્રમાણિત લે હોય છે.
  • એઆઇ- આધારિત  કમ્પ્યુટર-નિર્દેશિત પ્રક્રિયાને માઇક્રોનની ચોકસાઈથી કરે છે
  • કોઇપણ સંભવિત આડઅસરથી બચવા માટે લઘુતમ ઊર્જાનો ઊપયોગ કરવામાં આવે છે.
  • ઝોના પેલ્યુસીડાનો એ ભાગ પસંદ કરવામાં આવે છે, જે ગર્ભની અંદર ગર્ભની કોશિકાઓથી દૂર હોય છે.
  • આ તમામ પ્રક્રિયા આઇવીએફની લેબોરેટરીમાં જે ગર્ભ સ્થાપિત કરવાના હોય તેના ઉપર કરવામાં આવે છે. મહિલા પર સ્વયં કશું કરવામાં નથી આવતું – તેથી મહિલાને કોઈ અગવડ કે દુખાવો થતો નથી.
  • ત્યારબાદ ગર્ભને કોઈપણ સામાન્ય આઇવીએફની જેમ ગર્ભાશયમાં સ્થાપિત કરી દેવામાં આવે છે.

એએચ દ્વારા કોણ લાભ ઉઠાવી શકે છે?

  • આઇવીએફ સારવાર લેતા કોઇપણ દંપતી એએચના લાભ લઈ શકે છે અને ગર્ભધારણની સંભાવનામાં સુધારો કરી શકે છે.
  • એએચ ખાસ કરીને વધારે સહાયક બને છે જ્યારે ગર્ભ ની બહારના આવરણ- ઝોના પેલ્યુસીડા વધારે સખત અથવા જાડું હોય
  • મહિલાની વધુ ઉંમર
  • થીજવેલા ગર્ભ વાપરતી વખતે
  • ઘટ્ટ ઝોના પેલ્યુસીડા
  • જ્યારે આગળ આઇવીએફ અસફળ રહ્યું હોય
  • પ્રિઇમ્પ્લાંટેશન જેનેટિક પરિક્ષણ માટે ગર્ભમાંથી બ્લાસ્ટોમેયર -કોશિકા નું સેમ્પલ લઇ પરીક્ષણ માટે

એલએએચના ફાયદા

  • તે ગર્ભની બહારના આવરણને તોડી સ્થાપન માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવે છે
  • તે એન્ડોમેટ્રિયમની સાથે ગર્ભના શરૂઆતના સંપર્કને સુનિશ્ચિત કરે છે. એન્ડોમેટ્રિયમ (ગર્ભાશયની ગાદી-દીવાલ) સાથેના સંવાદને પ્રેરણા આપે છે. ‘એન્ડોમેટ્રિટમ એમ્બ્રિયો ક્રોસ ટોક’. જેથી ગર્ભસ્થાપિત થવાની પ્રક્રિયા ઝડપી બને છે.
  • આ યાંત્રિક અને રાસાયણિક લાભો ગર્ભસ્થાપન અને ગર્ભાવસ્થા માટેની વધુ સારી સંભાવના આપે છે.

એલએએચના ગેરફાયદા

  • એલ.એ.એચ. માટે સમર્પિત મોંઘા ઉપકરણોની જરૂરિયાત રહે છે.
  • અધિક કુશળ અને અનુભવી ટેકનિકલ કર્મચારીની જરૂરિયાત પડે છે.
  • વધારાની કિંમત
  • ગર્ભને નુકસાન  અને એક જ ગર્ભમાંથી જોડિયા શિશુની નહિવત સંભાવના

બાવીશીના ફાયદા

બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ વિશેષ જાણકારી અને અનુભવની સાથે એલએએચ સુવિધા આપે છે. અમે આ પ્રમાણિત આધૂનિક ટેકનોલોજીનો લાભ ઉઠાવવા તમામ દંપતીઓને આહવાન કરીએ છીએ. તો આપ પણ ખૂબ જ ઓછા વધારાના ખર્ચે આ ટેકનોલોજીથી સારવારની સફળતાની શક્યતા સુધારો !! 

અમારા સ્થાનો

    Book an Appointment

    Your family building is just your decision away. Reach us NOW, fill this form and we will respond ASAP, Together, we will succeed.